અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/લાઠી સ્ટેશન પર

From Ekatra Wiki
Revision as of 07:05, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


લાઠી સ્ટેશન પર

ઉમાશંકર જોશી

દૈવે શાપી
તેં આલાપી
         દ્વય હૃદયની સ્નેહગીતા કલાપી!
દૂરે, દૂરે
હૈયાં ઝૂરે
         ક્ષિતિજ હસતી નવ્ય કો આત્મનૂરે.
તે આ ભૂમિ
સ્નેહે ઝૂમી
         સદય દૃગથી આજ મેં ધન્ય ચૂમી.

લાઠી સ્ટેશન, ૧૬-૧૦-૪૮