અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બકુલેશ દેસાઈ/પગરવોની પાનખર

From Ekatra Wiki
Revision as of 06:04, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


પગરવોની પાનખર

બકુલેશ દેસાઈ

એમના આવ્યા વગર,
લો, ટકોરા દ્વાર પર!

વેદના છે ઘાવમાં,
ફૂંકની કેવી અસર!

પથ્થરોથી ચેતજો!
કાચનું આ શ્વાસઘર!

આંખ તો લાગ્યા કરે,
આંસુઓનું માનસર!

સાદ કોને પાડવો?
જે દીવાલોનું નગર!

નેજવે બળતી પળો :
પગરવોની પાનખર!

શ્વાસના આકાશમાં —
રક્તવરણી છે ટશર.
(અવાન્તર, ૧૯૮૩, પૃ. ૩૫)