ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અર્થમુક્ત પદ્ય

From Ekatra Wiki
Revision as of 10:49, 17 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''અર્થમુક્ત પદ્ય (Nonsense Verse)'''</span> : હળવા કાવ્યનું એક સ્વર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અર્થમુક્ત પદ્ય (Nonsense Verse) : હળવા કાવ્યનું એક સ્વરૂપ; જેમાં અર્થનું નહિ પણ ધ્વનિ અને આંદોલનોનું મહત્ત્વ હોય છે. જેમકે દલપતરામની પંક્તિઓ : ‘પાડો ચડ્યો લીમડે લબલબ લીંબું ખાય;/ત્યાંથી આવ્યો ચોકમાં જાણે કળાયેલ મોર.’ લૂઇ કેરલ અને એડવર્ડ લિર આ મનોરંજક અસંગતતાના પ્રમુખ સર્જકો છે. ચં.ટો.