ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અર્થમુક્ત પદ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અર્થમુક્ત પદ્ય (Nonsense Verse) : હળવા કાવ્યનું એક સ્વરૂપ; જેમાં અર્થનું નહિ પણ ધ્વનિ અને આંદોલનોનું મહત્ત્વ હોય છે. જેમકે દલપતરામની પંક્તિઓ : ‘પાડો ચડ્યો લીમડે લબલબ લીંબું ખાય;/ત્યાંથી આવ્યો ચોકમાં જાણે કળાયેલ મોર.’ લૂઇ કેરલ અને એડવર્ડ લિર આ મનોરંજક અસંગતતાના પ્રમુખ સર્જકો છે. ચં.ટો.