ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આદ્યપુનરુક્તિ

From Ekatra Wiki
Revision as of 13:13, 17 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''આદ્યપુનરુક્તિ'''</span> (Anaphora) : એકના એક શબ્દ કે શબ્દજૂથન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આદ્યપુનરુક્તિ (Anaphora) : એકના એક શબ્દ કે શબ્દજૂથનું કાવ્યની અને ખાસ તો ગીતની પંક્તિઓમાં આરંભમાં આવતું પુનરાવર્તન તે આદ્યપુનરુક્તિ છે. જેમકે રાજેન્દ્ર શુક્લની પંક્તિઓ – ‘કદાચ હું ક્વચિત્ના વસનારને મળું /કદાચ હું હૃદય શીર્ણવિશીર્ણતા તણા /અવાજના ધધખતા રુધિરપ્રવાહમાં અવાજમુક્ત સ્થળના વસનારને મળું...’ ચં.ટો.