સોરઠી સંતવાણી/શિષ્ય કોને કરવો?

From Ekatra Wiki
Revision as of 12:21, 26 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શિષ્ય કોને કરવો?|}} <poem> અંતઃકરણથી પુજાવાની આશા રાખે ને :::: એન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શિષ્ય કોને કરવો?

અંતઃકરણથી પુજાવાની આશા રાખે ને
એને કેમ લાગે હરિનો સંગ રે
શિષ્ય કરવા નહીં એવા જેને
પૂરો ચડ્યો ન હોય રંગ રે —
ભાઈ રે અંતર નથી જેનું ઊજળું ને
જેને મોટાપણું મનમાંય રે —
તેને બોધ નવ દીજીએ ને
જેની વૃત્તિ હોય આંઈ ને ત્યાંય રે. — અંતઃકરણથી.
ભાઈ રે શઠ નવ સમજે સાનમાં ને
ભલે કોટિ કરે ઉપાય રે
સંકલ્પ વિકલ્પ જેને વધતા જાય ને
એવાની અંતે ફજેતી થાય રે. — અંતઃકરણથી.
ભાઈ રે એવાને ઉપદેશ કદી નવ દેવો ને
ઊલટી ઉપાધિ વધતી જાય રે,
ગંગાસતી એમ બોલિયાં ને
એવાનો કરવો નહીં ઈતબાર રે. — અંતકરણથી.