સોરઠિયા દુહા/116

Revision as of 10:34, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|116| }} <poem> સાંજ પડન્તી દેખકે, ચકવી બેઠી રોય; ચલો પિયા ઉસ દેશમેં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


116

સાંજ પડન્તી દેખકે, ચકવી બેઠી રોય;
ચલો પિયા ઉસ દેશમેં, (જ્યાં) રેન અંધેરા નોય.

રાત પડે ચક્રવાક ને પંખીનું જોડલું આંધળું બની જાય છે. અને બે નર-માદા વચ્ચે એક પાંદડું જ આડું હોય છતાં એ અનંત અંતરે પડ્યાં હોય તેમ એકબીજાને જોઈ-મળી શકતાં નથી. તેથી રાત પડતી વેળાએ વિયોગ આવતો જોઈને ચકવી રડી પડે છે અને ચક્રવાકને કહે છે કે, હે પ્રીતમ, ચાલો આપણે એવા દેશમાં ઊડી જઈએ કે જ્યાં રાત જ ન પડતી હોય, કે જેથી આપણે કદી વિખૂટાં પડવું ન પડે.