સોરઠિયા દુહા/116

From Ekatra Wiki
Jump to navigation Jump to search


116

સાંજ પડન્તી દેખકે, ચકવી બેઠી રોય;
ચલો પિયા ઉસ દેશમેં, (જ્યાં) રેન અંધેરા નોય.

રાત પડે ચક્રવાક ને પંખીનું જોડલું આંધળું બની જાય છે. અને બે નર-માદા વચ્ચે એક પાંદડું જ આડું હોય છતાં એ અનંત અંતરે પડ્યાં હોય તેમ એકબીજાને જોઈ-મળી શકતાં નથી. તેથી રાત પડતી વેળાએ વિયોગ આવતો જોઈને ચકવી રડી પડે છે અને ચક્રવાકને કહે છે કે, હે પ્રીતમ, ચાલો આપણે એવા દેશમાં ઊડી જઈએ કે જ્યાં રાત જ ન પડતી હોય, કે જેથી આપણે કદી વિખૂટાં પડવું ન પડે.