સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/દિલાવર લોકસંસ્કાર

From Ekatra Wiki
Revision as of 06:39, 6 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દિલાવર લોકસંસ્કાર|}} {{Poem2Open}} સોરઠી લોકસંસ્કારને હું ‘દિલાવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


દિલાવર લોકસંસ્કાર

સોરઠી લોકસંસ્કારને હું ‘દિલાવર’ શબ્દે ઓળખાવું છું તેની પાછળ મારું આવાં ધર્મપાત્રોનું ને થાનકોનું દર્શન છે. હવે તમે જ મને કહો, કોઈ પણ જવાબ આપો, ગીગાભગતની તવારીખને જૂની, જુનવાણી ગણશો? કે નિત્ય નવી? જબાલાના પિતૃહીન પુત્ર જાબાલની કથા આપણા ઉપનિષદ-કાલના આર્ય ઇતિહાસનું સુવર્ણ-પાનું શોભાવે છે. લાખુના દીકરા ગીગલાને સંતપદે સ્થાપનાર સોરઠી લોકસમાજ એવું જ એક સુવર્ણ-પાનું નથી લખી ગયો શું?