ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયરત્ન-૪

Revision as of 05:25, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઉદયરત્ન-૪'''</span> ઉદયરત્ન-૪[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઉદયરત્ન-૪ ઉદયરત્ન-૪[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. વિદ્યાહેમના શિષ્ય. ‘સીમંધર-સ્તવન’ (૨.ઈ.૧૮૦૧/સં. ૧૮૫૭; અસાડ સુદ ૧૦), ‘જિનપાલિતજિનરક્ષિત-રાસ’ (૨.ઈ.૧૮૧૧), ‘જિનકુશલસૂરિ-નિશાની’ (૨.ઈ.૧૮૧૮) અને ‘ખંધક-ચોઢાળિયું’ (૨.ઈ.૧૮૨૮)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [હ.યા.]