ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયરત્ન-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉદયરત્ન-૪ ઉદયરત્ન-૪[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. વિદ્યાહેમના શિષ્ય. ‘સીમંધર-સ્તવન’ (૨.ઈ.૧૮૦૧/સં. ૧૮૫૭; અસાડ સુદ ૧૦), ‘જિનપાલિતજિનરક્ષિત-રાસ’ (૨.ઈ.૧૮૧૧), ‘જિનકુશલસૂરિ-નિશાની’ (૨.ઈ.૧૮૧૮) અને ‘ખંધક-ચોઢાળિયું’ (૨.ઈ.૧૮૨૮)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [હ.યા.]