ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયવિજય વાચક-૧

From Ekatra Wiki
Revision as of 05:26, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઉદયવિજય(વાચક)-૧'''</span> [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : તપગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઉદયવિજય(વાચક)-૧ [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. ઉત્તમવિજય-રત્નવિજયના શિષ્ય. રત્નવિજયનો સમય ઈ.૧૭મી સદીનો મધ્યભાગ છે તેથી આ કવિને પણ એ અરસાના ગણી શકાય. એમણે રચેલો ૧૫ કડીનો ‘શાંતિનાથનો છંદ’ (મુ.) મળે છે. કૃતિ : પ્રાછંદસંગ્રહ. [હ.યા.]