ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયવિજય વાચક-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉદયવિજય(વાચક)-૧ [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. ઉત્તમવિજય-રત્નવિજયના શિષ્ય. રત્નવિજયનો સમય ઈ.૧૭મી સદીનો મધ્યભાગ છે તેથી આ કવિને પણ એ અરસાના ગણી શકાય. એમણે રચેલો ૧૫ કડીનો ‘શાંતિનાથનો છંદ’ (મુ.) મળે છે. કૃતિ : પ્રાછંદસંગ્રહ. [હ.યા.]