ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીવવિજય-૩

Revision as of 12:15, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જીવવિજય-૩'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જીવવિજય-૩ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. કીર્તિવિજય (ઈ.૧૮૨૪માં હયાત)ના શિષ્ય. ‘પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનું ત્રિઢાળિયું’, ૪ કડીની ‘રાત્રિભોજનની સ્તુતિ’ અને ૭ કડીનું ‘શાંતિનાથ સ્વામીનું સ્તવન’, ૪ કડીની ‘મહાવીર જિન-સ્તુતિ’, ૧૧ કડીની ‘શિયાળની સઝાય’ - એ મુદ્રિત કૃતિઓના કર્તા. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, સં. તિલકવિજયજી, સં. ૧૯૯૩; ૩. સઝાયમાલા (પં.).[ર.સો.]