ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનસાગર-૨

From Ekatra Wiki
Revision as of 05:01, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનસાગર-૨'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


જ્ઞાનસાગર-૨ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં રવિસાગરના શિષ્ય. ઈ.૧૫૯૬માં હયાત હોવાની માહિતી મળે છે. તેમણે ૭૩ કડીની ‘નેમિનાથ ચંદ્રાઉલા-સ્તવન’ (ર.ઈ.૧૫૯૯) એ કૃતિ રચી છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); હેજૈજ્ઞાસૂચિ: ૧.[કા.શા.]