ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનસાગર-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જ્ઞાનસાગર-૨ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં રવિસાગરના શિષ્ય. ઈ.૧૫૯૬માં હયાત હોવાની માહિતી મળે છે. તેમણે ૭૩ કડીની ‘નેમિનાથ ચંદ્રાઉલા-સ્તવન’ (ર.ઈ.૧૫૯૯) એ કૃતિ રચી છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); હેજૈજ્ઞાસૂચિ: ૧.[કા.શા.]