ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દલભટ્ટ

Revision as of 07:37, 16 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દલભટ્ટ'''</span> [ઈ.૧૬૪૩માં હયાત] : જૈન સાધુ લેખવામ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દલભટ્ટ [ઈ.૧૬૪૩માં હયાત] : જૈન સાધુ લેખવામાં આવ્યા છે, પરંતુ પાર્શ્વચન્દ્ર ગચ્છના હીરરાજ-પુંજરાજ મુનિના કોઈ અનુયાયી ભક્ત હોવાનો સંભવ છે. એમણે પૂંજરાજઋષિએ કરેલા વિવિધ પ્રકારના દીર્ઘ તપનું વર્ણન કરતો ૩ ઢાળ અને ૨૧ કડીનો ‘મહાતપસ્વી શ્રી પૂંજામુનિનો રાસ’ (ર.ઈ.૧૬૪૩/સં. ૧૬૯૯ ફાગણ સુદ-; મુ.) રચ્યો છે. કૃતિ : જૈન રાસસંગ્રહ : ૧, સં. સાગરચંદ્રજી, ઈ.૧૯૩૦ (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).[શ્ર.ત્રિ.]