ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધ્યાનાનંદ

From Ekatra Wiki
Revision as of 12:48, 18 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધ્યાનાનંદ'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ધ્યાનાનંદ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. તેમણે ‘ધર્મામૃત’, હરિગીતા’, ‘હરિચરિત્રામૃત’ તથા કીર્તનો રચ્યાં હોવાની માહિતી મળે છે. તેમાંથી પહેલી ૩ કૃતિઓની ભાષા વિશે સ્પષ્ટતા નથી. તે ઉપરાંત ‘હરિગીતા’ તે જ ‘હરિચરિત્રામૃત’ છે કે કેમ તેવો પણ સંશય થાય છે. સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૫ - ‘સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુજરાતી સાહિત્ય’, કલ્યાણરાય ન. જોશી; ૨. મસાપ્રવાહ; ૩. સત્સંગના સંતો, પ્ર. રમણલાલ અં. ભટ્ટ, સં. ૨૦૦૯.[કી.જો.]