ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધ્યાનાનંદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધ્યાનાનંદ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. તેમણે ‘ધર્મામૃત’, હરિગીતા’, ‘હરિચરિત્રામૃત’ તથા કીર્તનો રચ્યાં હોવાની માહિતી મળે છે. તેમાંથી પહેલી ૩ કૃતિઓની ભાષા વિશે સ્પષ્ટતા નથી. તે ઉપરાંત ‘હરિગીતા’ તે જ ‘હરિચરિત્રામૃત’ છે કે કેમ તેવો પણ સંશય થાય છે. સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૫ - ‘સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુજરાતી સાહિત્ય’, કલ્યાણરાય ન. જોશી; ૨. મસાપ્રવાહ; ૩. સત્સંગના સંતો, પ્ર. રમણલાલ અં. ભટ્ટ, સં. ૨૦૦૯.[કી.જો.]