ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યરુચિ

From Ekatra Wiki
Revision as of 09:15, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પુણ્યરુચિ'''</span> [ઈ.૧૬૨૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ઉદયરુચિના શિષ્ય. નાગોરના જિનમંદિરને નોંધતું ૧૪ કડીનું ‘નાગોરનવજિનમંદિર-સ્તવન’ (ર.ઈ.૧૬૨૨/સં.૧૬૭૮, માગશર વદ ૧...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પુણ્યરુચિ [ઈ.૧૬૨૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ઉદયરુચિના શિષ્ય. નાગોરના જિનમંદિરને નોંધતું ૧૪ કડીનું ‘નાગોરનવજિનમંદિર-સ્તવન’ (ર.ઈ.૧૬૨૨/સં.૧૬૭૮, માગશર વદ ૧૩, મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ઈ.૧૯૫૫-‘નાગોર-નવજિન મંદિર-સ્તવન’, સં. ભંવરલાલજી નાહટા.[શ્ર.ત્રિ.]