ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યરુચિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પુણ્યરુચિ [ઈ.૧૬૨૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ઉદયરુચિના શિષ્ય. નાગોરના જિનમંદિરને નોંધતું ૧૪ કડીનું ‘નાગોરનવજિનમંદિર-સ્તવન’ (ર.ઈ.૧૬૨૨/સં.૧૬૭૮, માગશર વદ ૧૩, મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ઈ.૧૯૫૫-‘નાગોર-નવજિન મંદિર-સ્તવન’, સં. ભંવરલાલજી નાહટા.[શ્ર.ત્રિ.]