ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાનુમંદિરશિષ્ય

From Ekatra Wiki
Revision as of 09:48, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાનુમંદિરશિષ્ય'''</span> [ઈ.૧૫૫૬માં હયાત] : વડતપગચ્છના ધનરત્નસૂરિની પરંપરાના જૈન સાધુ. દુહા અને ચોપાઈબંધમાં રચાયેલી ૩૭૫ કડીની ‘દેવકુમાર-ચરિત્ર’ (ર.ઈ.૧૫૫૬/સં.૧૬૧૨, વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભાનુમંદિરશિષ્ય [ઈ.૧૫૫૬માં હયાત] : વડતપગચ્છના ધનરત્નસૂરિની પરંપરાના જૈન સાધુ. દુહા અને ચોપાઈબંધમાં રચાયેલી ૩૭૫ કડીની ‘દેવકુમાર-ચરિત્ર’ (ર.ઈ.૧૫૫૬/સં.૧૬૧૨, વૈશાખ સુદ ૩, રવિવાર)ના કર્તા. આ કૃતિ ભાનુકુમારશિષ્યને નામે પણ નોંધાયેલી મળે છે જે ખરેખર છાપભૂલ છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]