ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાનુમંદિરશિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાનુમંદિરશિષ્ય [ઈ.૧૫૫૬માં હયાત] : વડતપગચ્છના ધનરત્નસૂરિની પરંપરાના જૈન સાધુ. દુહા અને ચોપાઈબંધમાં રચાયેલી ૩૭૫ કડીની ‘દેવકુમાર-ચરિત્ર’ (ર.ઈ.૧૫૫૬/સં.૧૬૧૨, વૈશાખ સુદ ૩, રવિવાર)ના કર્તા. આ કૃતિ ભાનુકુમારશિષ્યને નામે પણ નોંધાયેલી મળે છે જે ખરેખર છાપભૂલ છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]