ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માધવદાસ-૫

Revision as of 15:40, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માધવદાસ-૫'''</span> [સં. ૧૭મી સદી ઉત્તરાર્ધ-સં. ૧૮મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુલનાથના ભક્ત. સુલતાનપુરના વતની. શ્રી ગોકુળનાથના અવસાન (સં.૧૬૯૭) વખત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


માધવદાસ-૫ [સં. ૧૭મી સદી ઉત્તરાર્ધ-સં. ૧૮મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુલનાથના ભક્ત. સુલતાનપુરના વતની. શ્રી ગોકુળનાથના અવસાન (સં.૧૬૯૭) વખતે તેઓ વિદ્યમાન હતા એમ નોંધાયું છે. નાના માધવદાસ તરીકે સંપ્રદાયમાં જાણીતા આ કવિએ ગોકુલેશ પ્રભુના ભક્તોની નામાવલિ અને બીજાં ધોળની રચના કરી છે. સંદર્ભ : ૧. ગોપ્રભકકવિઓ; ૨. પુગુસાહિત્યકારો;  ૩. ડિકૅટલૉગભાવિ.[ર.સો.]