ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેરુવિજય-૩

From Ekatra Wiki
Revision as of 04:50, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">''' મેરુવિજય-૩ '''</span> [ઈ.૧૭૦૭ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજયગણિના શિષ્ય ગજસારમુનિકૃત ૪૩ કડીના મૂળ પ્રાકૃત ગ્રંથ ‘દંડકપ્રકરણ’ પરના સ્તબક (લે.ઈ.૧૭૦૭)ના કર્તા. સંદર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મેરુવિજય-૩ [ઈ.૧૭૦૭ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજયગણિના શિષ્ય ગજસારમુનિકૃત ૪૩ કડીના મૂળ પ્રાકૃત ગ્રંથ ‘દંડકપ્રકરણ’ પરના સ્તબક (લે.ઈ.૧૭૦૭)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]