ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેરુવિજય-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મેરુવિજય-૩ [ઈ.૧૭૦૭ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજયગણિના શિષ્ય ગજસારમુનિકૃત ૪૩ કડીના મૂળ પ્રાકૃત ગ્રંથ ‘દંડકપ્રકરણ’ પરના સ્તબક (લે.ઈ.૧૭૦૭)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]