કાવ્યમંગલા/સંજીવની

From Ekatra Wiki
Revision as of 06:42, 15 September 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સંજીવની|}} <poem> <center>(ખંડ શિખરિણી)</center> ::: તજેલી માયાઓ, ::: મહેચ્છા છાયાઓ, ::: મરેલી કાયાઓ, :::: પુનરપિ બધી જીવિત થતી; ::: સૂકેલી ડાળીઓ અભિનવ સુપત્રો પ્રગટતી, ::: અહા, મારી વાડી નવકુસુમથી આજ લચ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સંજીવની
(ખંડ શિખરિણી)

તજેલી માયાઓ,
મહેચ્છા છાયાઓ,
મરેલી કાયાઓ,
પુનરપિ બધી જીવિત થતી;
સૂકેલી ડાળીઓ અભિનવ સુપત્રો પ્રગટતી,
અહા, મારી વાડી નવકુસુમથી આજ લચતી,
સુરભિપવનોથી બહકતી,
મધુકરરવે આર્દ્ર બનતી,
ઉષા અંગે અંગે નભપટતરંગે વિહરતી.
અહો જેને છોડ્યાં,
મનો જ્યાંથી મોડયાં,
વછોડ્યાં જ્યાં હૈયાં,
હૃદય સરસાં આવી ઠરતાં,
ઉવેખ્યાં વૈરાગ્યે પ્રણયભરતીએ ઉભરતાં,
તજ્યું જે તે આજે કરમહીં પડે આવી સહસા,
ભવન ભવને સ્નેહવરષા,
હસતી વરસે સુન્દરરસા,
ચકોરોના દાઝ્યા અમરત પીયે દેહ તરસ્યા.
(જુલાઈ, ૧૯૩૦)