ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુમતિસુંદર સૂરિ શિષ્ય

From Ekatra Wiki
Revision as of 05:45, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુમતિસુંદર(સૂરિ)શિષ્ય'''</span> [ ] : તપગચ્છના જૈન સાધુ. ૩૭ કડીની, તેમાં ઉપયોગમાં લેવાયેલાં રાસ, અઢૈઉ, આંદોલા વગેરે દેશીઓ તથા માલિની, શાર્દૂલવિક્રીડિત, ગીતિકા એ સંસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સુમતિસુંદર(સૂરિ)શિષ્ય [ ] : તપગચ્છના જૈન સાધુ. ૩૭ કડીની, તેમાં ઉપયોગમાં લેવાયેલાં રાસ, અઢૈઉ, આંદોલા વગેરે દેશીઓ તથા માલિની, શાર્દૂલવિક્રીડિત, ગીતિકા એ સંસ્કૃત વૃત્તોને લીધે ચિત્તાકર્ષક બનતી ‘સુમતિસુંદરસૂરિ રાજાધિરાજ રસસાગર-ફાગુ’(મુ.)ની રચના તેમણે કરી છે. કૃતિ : પંદરમા શતકનાં ચાર ફાગુકાવ્યો, સં. કાંતિલાલ બ. વ્યાસ, ૧૯૫૫. સંદર્ભ : સંબોધિ, એપ્રિલ ૧૯૮૧, જાન્યુ ૧૯૮૨, ‘કયા સુમતિસુંદરસૂરિ ઔર સુમતિસાધુસૂરિ એક હૈં?’, અગરચંદ નાહટા.[કી.જો.]