કાવ્ય-આચમન શ્રેણી

From Ekatra Wiki
Revision as of 13:11, 7 July 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{DISPLAYTITLE:<span style="opacity:0;position:absolute;">{{FULLPAGENAME}}</span>}} વીસમી સદીના પ્રશિષ્ટ કવિઓનાં ચૂં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



વીસમી સદીના પ્રશિષ્ટ કવિઓનાં ચૂંટેલાં કાવ્યોનું eBook થકી આચમન કરાવતી ‘કાવ્ય-આચમન’ શ્રેણી પાંચેક સંપુટમાં પ્રગટ થશે; દરેક સંપુટમાં દસ કવિઓ. આ શ્રેણીનું સંપાદન યોગેશ જોષી તથા ઊર્મિલા ઠાકર કરી રહ્યાં છે. દરેક પુસ્તકમાં કવિનો પરિચય તથા એમનાં કાવ્યો વિશે આસ્વાદમૂલક આલેખ પણ પ્રગટ થશે. આ શ્રેણીના પહેલા સંપુટમાં દસ કવિઓની eBook પ્રગટ થશે. આ કવિઓ છે — 1. સુન્દરમ્ 2. નિરંજન ભગત 3. પ્રિયકાન્ત મણિયાર 4. ઉશનસ્ 5. જયન્ત પાઠક 6. ચંદ્રકાન્ત શેઠ 7. રમેશ પારેખ 8. બાલમુકુન્દ દવે 9. ઝવેરચંદ મેઘાણી અને 10. નલિન રાવળ.

eBookના અંતે ‘કાવ્યગાન-આચમન’ પણ ઉમેરાશે, જેનું સંકલન અમર ભટ્ટ કરશે.

પહેલા સંપુટમાં દરેક કવિનાં એકાવન કાવ્યો પીરસ્યાં છે. ‘કાવ્ય-આચમન શ્રેણી’ની પ્રસ્તાવના અહીં રજૂ કરું છું.

...પ્રસ્તાવના...

આ સંપુટના દસ કવિઓમાંથી નિરંજન ભગત, ઉશનસ્ તથા જયન્ત પાઠકની eBook આ સાથે આપના આચમન અર્થે, આપનાં ટેરવાંવગી, હાજરાહજુર!

અતુલ રાવલ એકત્ર ફાઉન્ડેશન


Ardhi-Sadi-Samagra-Title.jpg

સંપાદક: મહેન્દ્ર મેઘાણી


Kavyasampada-UJO-Title.jpg

સંપાદક: મધુસૂદન કાપડિયા



પ્રત્યક્ષ સૂચિ કવર.jpg

સંપાદક: પ્રવીણ કુકડિયા