પરોઢ થતાં પહેલાં/-

Revision as of 16:40, 3 March 2025 by Atulraval (talk | contribs)


જ્યાં પડછાયા સઘન પથરાયા હોય
ત્યાં પગ સ્થિર રાખવાની હિંમત કરી શકે
તેઓ જ સ્વર્ગીય ગાનનો સંદેશ
આછોયે સુણાવી શકે.
                   જેમણે પોતાના પુષ્પને મૃતકો સાથે
                   આસ્વાદી જોયું હોય,
                   તેઓ જ બજેલા કે બોલાયેલા
                   પવન-પાતળા સૂરને પકડી શકે,
તળાવડીએ જે પ્રતિબિંબને
પળ એકમાત્ર ઝીલેલાં
તેને રાખો જતને જાળવી!
આ પાર અને પેલે પાર
સ્વરો ન બને જ્યાં 
શાશ્વત અને શુદ્ધ 
– રાઇનર મારિયા રિલ્કે
                   ચિંડીદાસ કહ શુન વિનોદિની,
                   સુધી સુખદુઃખ દુટિ ભાઈ,
                   સુખેર લાગિયા જે કરે પીરતિ
                   દુઃખ જાય તારઈ ઠાંઈ.