ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ઝ/ઝાકળિયું

Revision as of 07:56, 27 July 2025 by Meghdhanu (talk | contribs)
ઝાકળિયું

ઉમાશંકર જોશી

ઝાકળિયું (ઉમાશંકર જોશી; ‘શ્રાવણી મેળો’, ૧૯૩૭) નાના ભાઈ હાથીને શિક્ષણ આપી ઉજળિયાતો જેવો, ઊંચા હોદ્દાનો ઑફિસર બનાવવાનાં સ્વપ્ન સેવતો ગોવિંદ ઘણી મુશ્કેલીઓ વચ્ચે પણ પોતાના ધણીયામાનાં પત્ની ને પુત્રની ઈર્ષ્યાનો ભોગ બની કેવો વિષમ સ્થિતિમાં ધકેલાઈ જાય છે એનું પ્રતીતિકર ચિત્રણ વાર્તાકારે કર્યું છે. વાસ્તવવાદી સાહિત્યના પ્રભાવ હેઠળ ગાંધીયુગમાં ગ્રામજીવનની કઠોર વાસ્તવિકતાને આલેખતી આ ધ્યાનાર્હ કૃતિ છે. જ.
ચં.