ભરત વિંઝુડાની ગઝલસંપદા/ભીનાં નીકળ્યાં
Jump to navigation
Jump to search
૬૦
ભીનાં નીકળ્યાં
ભીનાં નીકળ્યાં
ચુંબનો ઝાકળ સરીખાં નીકળ્યાં,
બે ઘડી આ ગાલ ભીના નીકળ્યા.
પેટમાંથી એક ટીપું ના મળ્યું,
તોય ઘરમાં ખાલી શીશા નીકળ્યા.
જોઉં જેમાં ને અલગ દેખાઉં છું,
ગામમાં એવા અરીસા નીકળ્યા.
જેમને હું એ સમજતો’તો અહીં,
એ નહીં ને કોઈ બીજા નીકળ્યા.
જે નદીના પૂરમાં ડૂબ્યું નગર,
આખરે પાણીનાં ટીપાં નીકળ્યાં.
(ચિત્તની લીલાઓ)