સોરઠી સંતવાણી/મન જ્યારે મરી જાય

From Ekatra Wiki
Revision as of 11:01, 26 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મન જ્યારે મરી જાય|}} <poem> સતગુરુના વચનનાં થાવ અધિકારી ::: મેલી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મન જ્યારે મરી જાય

સતગુરુના વચનનાં થાવ અધિકારી
મેલી દ્યો અંતરનું માન,
આળસ મેલીને આવો મેદાનમાં,
સમજો સતગુરુજીની સાન — સતગુરુના.
ભાઈ રે! અંતર ભાંગ્યા વિના ઊભરો નૈ આવે, પાનબાઈ!
પછી તો હરિ દેખાય સાક્ષાત. — સતગુરુના.
ભાઈ રે! સતસંગ રસ એ તો અગમ અપાર છે,
તે તો પીવે કોઈ પીવનહાર
તનમનની શુદ્ધિ જ્યારે ભૂલશો, પાનબાઈ!
ત્યારે અરસપરસ મળશે એકતાર. — સતગુરુના.
ભાઈ રે! ધડ રે ઉપર શીશ જેને નવ મળે પાનબાઈ!
એવો ખેલ છે ખાંડા કેરી ધાર
એમ તમે તમારું શીશ ઉતારો, પાનબાઈ
તો તો રમાડું બાવન બાર. — સતગુરુના.
ભાઈ રે! હું અને મારું ઇ તો મનનું છે કારણ, પાનબાઈ!
ઈ મન જ્યારે મરી જોને જાય
ગંગાસતી એમ બોલિયાં,
ત્યારે પછી હતું તેમ દરશાય. — સતગુરુના.