સોરઠી સંતવાણી/હરિ સાથે એકતાર

From Ekatra Wiki
Revision as of 12:27, 26 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હરિ સાથે એકતાર|}} <poem> એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું ને :::: વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હરિ સાથે એકતાર

એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું ને
વાળ્યું પદમાસન્ન રે,
મન વચનને સ્થિર કરી દીધું ને
ચિત્ત જેનું પ્રસન્ન રે —
ભાઈ રે ચિત્ત સંવેદન સર્વે મટાડી દીધું ને
લાગી સમાધિ અખંડ રે
મહાદશ પ્રગટાવી તે ઘડી ને
હરિને જોયા તે પંડ બ્રહ્માંડ રે. — એટલી.
ભાઈ રે બાહુમ રૂપ જેની વરતી બની ગઈ ને
અંતર રહ્યું લગાર રે,
સુરતાએ સુનમાં જઈને વાસ કીધો ને
થયા અરસ પરસ એકતાર રે. — એટલી.
ભાઈ રે નામને રૂપની મટી ગઈ ઉપાધિને
વરતી લાગી ઇંડથી પાર રે,
ગંગાસતીનું શરીર પડી ગયું ને
મળી ગયો હરિમાં તાર રે. — એટલી.