ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અજિતદેવસૂરિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અજિતદેવસૂરિ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ચંદ્રગચ્છ-પલ્લીવાલગચ્છના જૈન સાધુ. મહેશ્વરસૂરિના પટ્ટધર. ‘સમકિતશીલસંવાદરાસ’ (૨. ઈ.૧૫૫૪), ‘ચંદનબાલા-વેલી’ અને ૧૬૮ કડીના ‘સુંદરરાજ-રાસ’ (૨.ઈ.૧૫૫૩/સં. ૧૬૦૯? - “નિધિઅંબરમિતવાસસંગાર”)ના કર્તા. રાજસ્થાની ભાષામાં ૧૨ કડીનું ‘શીલ-ગીત’ મળે છે. ‘સમકિતશીલસંવાદ-રાસ’ એ ‘શીલ-ગીત’નું જ વિસ્તૃત રૂપ હોવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ કવિની ‘કલ્પસૂત્ર-દીપિકા’ (૨. ઈ.૧૫૬૬), ‘પિંડવિશુદ્ધિ-દીપિકા’ (ર.ઈ.૧૫૭૧), ‘ઉત્તરાધ્યયન-ટીકા’ (ર.ઈ.૧૫૭૩),‘આચારાંગ-દીપિકા’ તથા ‘આરાધના’ એ સંસ્કૃત કૃતિઓ પણ મળે છે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. કૅટલૉગગુરા; ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. મુપુગૂહસૂચી. [શ્ર. ત્રિ.]