ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અજિતચંદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અજિતચંદ [ઈ.૧૬૮૦માં હયાત] : તપ-ઉપકેશગચ્છના જૈન સાધુ. અમીચંદના શિષ્ય. ‘ચંદનમલયાગિરિ-રાસ’ (૨. ઈ.૧૬૮૦/સં. ૧૭૩૬, આસો સુદ ૧૦)ના કર્તા. કવિએ આ વિષય પર ૨ વખત કાવ્યરચના કર્યાનો પણ ઉલ્લેખ મળે છે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. જૈગૂકવિઓ : ૨. [શ્ર. ત્રિ.]