ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહીરાજ પંડિત-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મહીરાજ(પંડિત)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ/શ્રાવક. ધર્મરત્નસૂરિની પરંપરામાં વિનયમંડનગણિ ઉપાધ્યાયના શિષ્ય. જૈન પરંપરાની નલકથાનું નિરૂપણ કરતા, હેમચંદ્રાચાર્યના ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર’ તથા દેવપ્રભસૂરિકૃત ‘પાંડવચરિત્ર’ પર આધારિત, ઋષિવર્ધનના ‘નલરાયદવદંતી-ચરિત’નો સ્પષ્ટ પ્રભાવ દાખવતી, તેમ છતાં સ્વકીય કવિત્વશક્તિનો અત્રતત્ર પરિચય આપતી દુહા, ચોપાઈ અને અન્ય ઢાળોમાં બદ્ધ ૧૨૫૪ કડીની ‘નલદવદંતી-રાસ’(ર.ઈ.૧૫૫૬/સં.૧૬૧૨, ભાદરવા સુદ ૯; મુ.) તથા ૫૩૨ કડીની ‘અંજના સુંદરી-રાસ’ (ર.ઈ.૧૫૫૮) એ કૃતિઓના કર્તા. ‘નલદવદંતી-રાસ’ કવિએ પોતે જ ઈ.૧૫૮૫/સં.૧૬૪૧, કારતક વદ ૨, સોમવારના રોજ લખ્યાનું આ રાસની પુષ્પિકામાંથી જાણવા મળે છે. આ રાસ પૂર્વે આ વિષય પર રચાયેલા ગુજરાતી રાસોમાં ગુણવત્તા ને રસવત્તાએ ચડિયાતો છે. કૃતિ : મહીરાજકૃત નલ-દવદંતીરાસ, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૫૪ (+સં.). સંદર્ભ : ૧. અનુસંધાન, હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૭૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. નળ-દમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૦; ૪. સાહિત્યસંસ્પર્શ, વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી, ઈ.૧૯૭૯;  ૫. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૬૧-‘મહીરાજકૃત નલદવદંતી-રાસ’, રમણલાલ ચી. શાહ;  ૬. મુપુગૂહસૂચી.[ભો.સાં.]