ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુનિવિમલ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મુનિવિમલ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવજ્યસૂરિની પરંપરામાં વિમલહર્ષ (ઈ.૧૬૦૨માં હયાત)ના શિષ્ય. ૨ ઢાળ અને ૩૩ કડીના ‘શ્રીઆદિનાથ-સ્તવન’(મુ.)ના કર્તા. વિજ્યતિલકની હયાતીમાં રચાયેલ ૫ કડીની ‘વિજ્યતિલકસૂરિ-સઝાય’(મુ.) ને ૬૧ કડીનું ‘શાંતિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૧૭) એ કૃતિઓ રચનાસમય જોતાં આ જ કર્તાની હોવાની સંભાવના છે. કૃતિ : ૧. ઐસમાળા : ૧;  ૨. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૨-‘મ્હેસાણા મંડન શ્રી આદિનાથ સ્તવન’, સં. શ્રી જયંત વિજ્યજી. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]