ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લક્ષ્મીદાસ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકાર. મહેમદાવાદના વાલ્મીક બ્રાહ્મણ. પિતાનું નામ ખોખા. ૯ કડવાં અને ૧૯૦ કડીનું તથા ૭ વિવિધ રાગોના નિર્દેશવાળું ‘ગજેન્દ્રમોક્ષ’ (ર.ઈ.૧૫૮૩/સં.૧૬૩૯, જેઠ સુદ ૭, ગુરુવાર) ૪૫ કડવાંનું ‘ચંદ્રહાસાખ્યાન’ (ર.ઈ.૧૫૯૧/સં. ૧૬૪૭, શ્રાવણ સુદ ૭, મંગળવાર), ‘લક્ષ્મણાહરણ’ (ર.ઈ.૧૬૦૪) અને ભાગવતના દશમસ્કંધનો ૧૯૫ કડવાંમાં મૂલાનુસારી સંક્ષેપ આપતું પણ રસપ્રદ કથાશૈલીવાળું ‘દશમસ્કંધ’ (ર.ઈ.૧૬૧૮, અંશત: મુ.)-એ લક્ષ્મીદાસની પ્રૌઢ આખ્યાનશૈલીનો પરિચય આપતી કૃતિઓ છે. કવિએ આખું ભાગવત તેમ જ મહાભારત પણ ગુજરાતીમાં ઉતાર્યા હોવાનું નોધાયું છે. ‘કર્ણપર્વ’ નામની, એક સ્થળે ‘લક્ષ્મીદાસ’ નામછાપ દર્શાવતી, અપૂર્ણ કૃતિ મહાભારતનો જ એક અંશ હોવાની સંભાવના છે. આ ઉપરાંત ‘જ્ઞાનબોધ’ (ર.ઈ.૧૬૧૨), રામભક્તિનું ૧૦ કડીનું ઉપદેશાત્મક પદ(મુ.) તથા વિવિધ રાગના નિર્દેશવાળાં અન્ય પદો (થોડાંક મુ.) પણ એમણે રચ્યાં છે. કેટલાંક પદોની ભાષા વ્રજની અસરવાળી છે. આ સિવાય માલિની વૃત્તની ૨૬ કડીઓમાં ભક્તિબોધ ને જ્ઞાનબોધ આપતું ‘અમૃતપચીસી-રાસ’(મુ.) અને ભુજંગીની દેશીમાં લખાયેલું ૩૨/૩૬ કડીનું ‘રામસ્તુતિરક્ષા’ (મુ.) પણ આ જ લક્ષ્મીદાસની કૃતિઓ હોવાની સંભાવના છે. કૃતિ : ૧. અપ્રગટ ગુજરાતી પુસ્તક, સપ્ટે.થી નવે. ઈ.૧૮૮૫(+સં.); ૨. કવિચરિત : ૧-૨ (+સં.); ૩. નકાદોહન; ૪. બૃકાદોહન : ૬; ૫. ભારતીય વિદ્યા, વર્ષ-૧, અંક ૪ (+સં.). સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. પ્રાકકૃતિઓ; ૫. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૫;  ૬. ફાત્રૈમાસિક, નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી; ૭. એજન, નવે. ૧૯૮૩-‘લક્ષ્મીદાસકૃત દશમસ્કંધ’, કુમુદ પરીખ;  ૮. આલિસ્ટઑઇ : ૨; ૯. ગૂહાયાદી; ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. ફૉહનામાવલિ.[ર.સો.]