ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાધુકીર્તિ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સાધુકીર્તિ-૨ [ઈ.૧૪૪૩માં હયાત] : વડતપગચ્છના જૈન સાધુ. જિનદત્તસૂરિના શિષ્ય. ‘વિક્રમકુમારચરિત્ર-રાસ/હંસાવતી વિક્રમચરિત્ર-રાસ’(ર.ઈ.૧૪૪૩), ‘મત્સ્યોદરકુમાર-રાસ’, ‘ગુણાસ્થાનકવિચાર-ચોપાઈ’, ‘ઉત્તરાધ્યયન છત્રીસી અધ્યયન-સ્તવન’(ર.ઈ.૧૪૪૩), ૧૧ કડીનું ‘અનાથીમુનિ-ગીત’ (ર.ઈ.૧૪૪૩), ૪૬ કડીનું ‘અર્હંત્પરિવાર-સ્તોત્ર’(ર.ઈ.૧૪૪૩), ‘કંથુનાથ-સ્તોત્ર’ (ર.ઈ.૧૪૪૩), ‘ચંદ્રપ્રભજિન-સ્તવન’ (ર.ઈ.૧૪૪૩), ‘ચૈત્રીપૂનમવિધિ-સ્તવન’ (ર.ઈ.૧૪૪૩), ‘જિનકુશલસૂરિ-સ્તવન’ (ર.ઈ.૧૪૪૩) તથા ‘પુંડરિક-સ્તવન’ (ર.ઈ.૧૪૪૩) એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ઇતિહાસની કેડી, ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૪૫; ૨. ગુસાઇતિહાસ : ૧, ૨; ૩. ગુસારસ્વતો; ૪. જૈસાઇતિહાસ; ૫. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન(સૂચિ), બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧, ૨); ૭. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]