ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાધુકીર્તિ પાઠક-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાધુકીર્તિ(પાઠક)-૧ [ઈ.૧૩મી સદીઉત્તરાર્ધ-ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. હિંદી ભાષાની છાંટવાળી ૧૫ કડીની ‘દાદાજીનો છંદ’(મુ.)ના કર્તા. આ રચના ‘દાદાજી’ના નામથી પ્રખ્યાત થયેલા જિનકુશલસૂરિ (જ.ઈ.૧૨૭૪-અવ.ઈ.૧૩૩૩)ની હયાતીમાં રચાઈ હોવાનું પ્રમાણ કૃતિમાંથી મળે છે. આ અનુસાર સાધુકીર્તિ જિનકુશલસૂરિના સમયમાં હયાત હોય. કૃતિ : સ્નાત્રપૂજા, દાદાસાહેબપૂજા, ઘંટાકર્ણ-મહાવીરપૂજા ઇત્યાદિ, પ્રકા. ઝવેરચંદ કે. ઝવેરી, સં. ૨૦૦૮. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [ર.ર.દ.]