ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાધુકીર્તિ ઉપાધ્યાય-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સાધુકીર્તિ(ઉપાધ્યાય)-૪ [અવ.ઈ.૧૫૯૦/સં.૧૬૪૬, મહા વદ ૧૪] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિની પરંપરામાં અમરમાણિક્યના શિષ્ય. પિતા વસ્તુપાલ, માતા ખેમલદેવી. તેઓ ઓસવાલવંશના સુચિતી ગોત્રના હતા. ઈ.૧૫૭૬માં જિનચંદ્રસૂરિના હાથે ઉપાધ્યાય પદની પ્રાપ્તિ. ૧૦૮ કડીની ‘સત્તરભેદી-પૂજા’ (ર.ઈ.૧૫૬૨/સં.૧૬૧૮, આસો વદ ૩૦), ૧૮૩ કડીની ‘અષાઢભૂતિ-પ્રંબંધ/રાસ’ (ર.ઈ.૧૫૬૮/સં.૧૬૨૪, આસો સુદ ૧૦), ‘નેમિરાજર્ષિ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૦), ૧૫ કડીની ‘નેમિનાથ ધમાલ’ (ર.ઈ.૧૫૬૮), ‘મૌન એકાદશી-સ્તવન’ (ર.ઈ.૧૫૬૮/સં.૧૬૨૪, આસો સુદ ૧૦), ‘અમરસર’ (ર.ઈ.૧૫૮૨), ૧૩ કડીનું ‘ચૈત્રીપૂનમ/પુંડરિક/શત્રુંજય-સ્તવન’ (ર.ઈ.૧૫૬૭), ‘શીતલજિન-સ્તવન’ ‘શેષનામમાલા’, ‘કીર્તિરત્નસૂરિ, જિનરત્નસૂરિ અને ગુરુમહત્તા પરનાં ગીતો (૩મુ.), કેટલાંક સ્તવનો (૧ મુ.) આ પદ્યકૃતિઓ ઉપરાંત ‘સપ્તસ્મરણ-બાલાવબોધ’ (ર.ઈ.૧૫૫૫/સં. ૧૬૧૧, આસો વદ ૩૦), ‘અજિતશાંતિ સ્તવન-બાલાવબોધ’ અને ‘દોષાવહારબાલાવબોધ’ એ ગદ્યકૃતિઓ તથા ‘ભક્તામરસ્તોત્ર-અવચૂરિ’ (ર.ઈ.૧૫૭૯/સં.૧૬૩૫)ના કર્તા. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ(પ્રસ્તા.); ૨. જૈકાપ્રકાશ : ૧. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૧, ૩(૧); ૫. જૈહાપ્રોસ્ટા; ૬. મુપુગૂહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]