ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સિદ્ધિવિજય-૧-સિદ્ધવિજય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સિદ્ધિવિજય-૧/સિદ્ધવિજય [ઈ.૧૬૫૭માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં ભાવવિજયના શિષ્ય. ૭ ઢાલ અને ૧૦૧/૧૧૨ કડીનું ‘નિગોદદુ:ખગર્ભિત સીમંધર જિનસ્તવન/વિનતિ’ (ર.ઈ.૧૬૫૭/સં. ૧૭૧૩-સુદ ૭; મુ.), ‘મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૬૫૭), ૮ કડીનું ‘ઋષભદેવસ્વામીનું ચૈત્યવંદન’ (મુ.), ૭૯ કડીનું ‘નેમિજિન-સ્તવન’, ૧૭ કડીની ‘સ્થૂલિભદ્રની સઝાય’ તથા ૧૦ કડીની ‘હીરવિજયસૂરિ-સઝાય’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ: ૧. ઐસમાલા: ૧; ૨. જિનગુણ પદ્યાવળી, પ્ર. વેણીચંદ સુ. શાહ, ઈ.૧૯૨૫ (બીજી આ.); ૩. પ્રાવિસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]