ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુમતિસિંધુર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સુમતિસિંધુર [ઈ.૧૬૪૦માં હયાત] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરસૂરિની પરંપરામાં સોમજ્યસૂરિના શિષ્ય. ઓસવંશીય સોની. ઈશ્વર ધનરાજે ઇડરમાં બંધાવેલ ધવલ મંદિરની અજિતનાથની પ્રતિમાના પ્રતિષ્ઠામહોત્સવનું વર્ણન કરતી ૩૮ કડીની ‘ઇડરગઢ-ચૈત્યપરિપાટી’(મુ.)ના કર્તા. ઇડરગઢના દેવમંદિરમાં ઈ.૧૪૭૭માં મૂર્તિપ્રતિષ્ઠાનનો મહોત્સવ થયો ત્યાર પછી તરત આ કૃતિની રચના થઈ લાગે છે. એટલે કર્તા ઈ.૧૫મી સદીના ઉત્તરાર્ધમાં વિદ્યમાન હોવાનું કહી શકાય. આ કૃતિ સુમતિસુંદરશિષ્યે રચી હોવાની પણ સંભાવના છે. કૃતિ : જૈનયુગ, મહા-ફાગણ-ચૈત્ર, ૧૯૮૫-‘ઈડરગઢ ચૈત્યપરિપાટી’, મોહનલાલ દ. દેશાઈ. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]