તત્ત્વસંદર્ભ/કૃતિ-પરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કૃતિ-પરિચય

તત્ત્વસંદર્ભ

પશ્ચિમના વિવેચનતત્ત્વ-વિચારકોની વિચારણાના પરિચય-દોહનના લેખો તો આપણા કેટલાક વિવેચકો પાસેથી મળતા રહ્યા છે પરંતુ એ વિચારકોના લેખોના અનુવાદો પ્રમાણમાં ઓછા છે, એમાં પ્રમોદકુમાર પટેલ, આ પુસ્તક દ્વારા, કેટલાક ઉત્તમ અને સંકુલ લેખોના વિશદ અનુવાદો આપે છે એ મહત્ત્વનું છે. અહીં અર્ન્સ્ટ કેસિરરના Problems in Aestheticsના ‘કળા’ નામે કરેલા અનુવાદથી લઈને નાટ્યસર્જક યુજિન આયનેસ્કોના Theatre of Violence નામના રસપ્રદ લેખના ‘રંગભૂમિનો અનુભવ’ નામે કરેલા અનુવાદ સુધી પ્રમોદભાઈનાં રસ-જિજ્ઞાસા પ્રવર્ત્યાં છે. ‘પેરિસ રિવ્યૂ’એ અનેક સર્જકો-વિચારકો સાથેના વિચારણીય ઇન્ટરવ્યૂ પ્રગટ કરેલા. એમાંથી ઓ’કોનરની તથા ફ્રાન્ક મોરિયાની મુલાકાતોના કેટલાક અંશો અનુવાદરૂપે એમણે ઊતાર્યા છે. પ્રમોદભાઈએ, આ ઉપરાંત, સંસ્કૃત-કાવ્યમીમાંસા વિશેના શ્રીકંઠૈયા, રાઘવન્‌ અને એસ. કે. ડે.ના અંગ્રેજી લેખોના અનુવાદો પણ આ પુસ્તકમાં મૂક્યા છે. એ રીતે, ઘણી મૂલ્યવાન તત્ત્વવિચારણાઓને અનુવાદો દ્વારા સુલભ કરી આપતું આ ‘તત્ત્વસંદર્ભ’ (૧૯૯૯) પ્રમોદકુમાર પટેલનું એક મહત્ત્વનું પ્રદાન છે ને જિજ્ઞાસુ અભ્યાસીઓ માટે એ ઘણું ઉપયોગી બનશે. – રમણ સોની

*