પરમ સમીપે/૫

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

યત્રાનન્દાશ્ચ મોદાશ્ચ મુદ: પ્રમુદ આસતે
કામસ્ય યત્રાપ્તા કામા, તત્ર મામમૃતં કૃધિ
ઇન્દ્રાયેન્દો પરિસ્રવ

જ્યાં આત્મિક અને ભૌતિક આનંદ, મોદ અને પ્રમોદ ઉત્તમતા
પર પહોંચેલા છે અને જ્યાં કામનાઓની પણ કામના પૂર્ણ થાય
છે, એ અમૃત-લોકમાં મને અમર બનાવો. હે આનંદમય, મુજ
સત્ત્વશીલ મનુજ માટે આનંદ-પ્રવાહ બનીને વહો.

(ઋ. ૯ : ૧૧૩ : ૧૧)

ભદ્રં નો અપિ વાતય મનો દક્ષમુત ક્રતુમ્

હે દેવ, અમારા મનને શુભ સંકલ્પવાળું બનાવો
અમારા અંતરાત્માને શુભ કર્મ કરનાર બનાવો
અને અમારી બુદ્ધિને શુભ વિચાર કરતી બનાવો.
(ઋ. ૧૦ : ૨૫ : ૧)

આ નો ભદ્રા ક્રતવો યન્તુ વિશ્વત:

અમને કલ્યાણકારી કર્મ સર્વ દિશાએથી પ્રાપ્ત થતાં રહો.
(ઋ. ૧ : ૮૯ : ૧)