બાળ કાવ્ય સંપદા/કૃતિ-પરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કૃતિ-પરિચય

ગુજરાતી બાળકાવ્યસંપદા

બાળસાહિત્ય એ અર્વાચીન કેળવણીની નીપજ છે. શાલેય શિક્ષણની જરૂરિયાતમાંથી બાળસાહિત્ય લખવાની શરૂઆત થઈ. ૧૮૫૦થી શરૂ થતા અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રથમ કવિ દલપતરામ બાળકવિ તરીકે પણ પ્રથમ છે. તેમણે અસંખ્ય વિષયો પર ચિત્રાત્મક-બોધાત્મક બાળકાવ્યો આપ્યા છે. દલપતરામથી શરૂ થયેલ આ પ્રવાહમાં પછી તો અનેક કવિઓએ પ્રદાન કર્યું છે, બાલભોગ્ય રચનાઓ કરી છે. બાળસાહિત્યના ‘બ્રહ્મા’ કહેવાતા ગિજુભાઈથી બાળકને કેન્દ્રમાં રાખી સાચા અર્થમાં બાળસાહિત્ય રચાતું થયું. આ સંદર્ભમાં ન્હાનાલાલ, ખબરદાર, ત્રિભુવન વ્યાસ, ઝવેરચંદ મેઘાણી, ચં. ચી. મહેતા, સુન્દરમ્, રમણલાલ સોની, ચંદ્રકાન્ત શેઠ, રમેશ પારેખ વગેરેએ ગુણવત્તાસભર બાળકાવ્યો આપ્યા છે. સમાજના બદલાતા માહોલ પ્રમાણે નવી નવી કલમોએ આ કાવ્યપ્રવાહને બાલભોગ્ય અને બાલપથ્ય રચનાઓ થકી જીવંત રાખ્યો છે તેની પ્રતીતિ આ ‘ગુજરાતી બાળકાવ્યસંપદા’ દ્વારા સહુ ગુજરાતી બાળપ્રેમી અને ભાષાપ્રેમીને થશે.

– શ્રદ્ધા ત્રિવેદી