સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ભાલણ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ભાલણ

[કૃષ્ણ ગોકુળ છોડી મથુરામાં ગયા અને પાછા આવ્યા નહિ ત્યાર પછીના આ ત્રણે પ્રસંગો છે. ૧. ગોપીઓ કૃષ્ણની ભાળ કાઢવા મથે છે. છેવટે થાકીને મન મનાવવા માટે કૃષ્ણ જે જે કરતો તે બધું ભજવવા કરે છે. ૨. કૃષ્ણને મથુરામાં તેની સગી માતા દેવકી મળે છે. દેવકીને એમ કે કૃષ્ણને તેની પાલક માતા જશોદાએ તે શેનાં લાડ લડાવ્યાં હોય, માટે લાવ હું આજે આટલે દહાડે એને એ સુખ આપું. કૃષ્ણનો જવાબ સાંભળવા જેવો છે. ૩. મથુરાથી ઉદ્ધવ ગોકુળ આવે છે, ત્યારે પાછા જતાં તેમની જોડે જસોદા દેવકીને સંદેશો કહેવડાવે છે. ૧. ૫. કપિત્થ - કોઠી. ૨૦. અંધાગારે – અંધ+આગાર (ગૃહ). ૨૭. જેને જેને કૃષ્ણે માર્યાં હતા તે. ૨. ૨. આતા— દીકરા! (સં. आत्मन् - પોતે ઉપરથી.) ૧૩. વળી પાછો ક્યારે અવતાર લઈશ! એમ વિચારી આ અવતારનાં સુખ આનંદથી ગણાવે છે. ૩. ૪. તમો નથી પામવું - ‘તમે પામવાનાં નથી’નું જૂનું ગુજરાતી રૂપ. ૧૩. અજીર – આંગણું. ૧૫. ઓલંભે - ફરિયાદે. ૧૭. સાંઈ દેતી-ભેટતી.]