અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ચમકે ચાંદની

Revision as of 14:16, 24 August 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચમકે ચાંદની|ઉમાશંકર જોશી}} <poem> આ ચૈતરની ચમકે ચાંદની મારે મં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ચમકે ચાંદની

ઉમાશંકર જોશી

<poem> આ ચૈતરની ચમકે ચાંદની મારે મંદિરિયે, કોઈ આંખોમાં ઊઘડે એ નૂર હો મનમંદિરિયે.

કોક ઓચિંતી કૂજી ગઈ કોકિલા મારે મંદિરિયે, એના પડઘા પડે દૂર દૂર હો મનમંદિરિયે.

આ તડકે તપેલી વસુંધરા મારે મંદિરિયે, ઊભી પીઠી ચોળીને અભિરામ હો મનમંદિરિયે.

ઘેરું ઘેરું ગાતો નિધિ ઊછળે મારે મંદિરિયે, એણે પીધેલો ચાંદનીનો જામ હો મનમંદિરિયે.

આ આંખો ઢાળીને ઝૂલે આંબલો મારે મંદિરિયે, વાયુલહરી ખેલે રે અભિસાર હો મનમંદિરિયે.

ફાગણ જતાં જતાં કહી ગયો મારે મંદિરિયે, આ ચાંદની તે દિન ચાર હો મનમંદિરિયે.

૯-૪-૧૯૫૩ (સમગ્ર કવિતા, બીજી આ. ૧૯૯૮, પૃ. ૪૭૭)




ઉમાશંકર જોશી • આ ચૈતરની ચમકે ચાંદની મારે મંદિરિયે • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: વૈશાલી ત્રિવેદી • આલ્બમ: સ્વરાભિષેક:5