સોરઠી સંતવાણી/ગુરુજીનું ધ્યાન

Revision as of 10:44, 26 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગુરુજીનું ધ્યાન|}} <poem> નવધા ભગતિમાં નિરમળ રે’વું ને :::: શીખવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ગુરુજીનું ધ્યાન

નવધા ભગતિમાં નિરમળ રે’વું ને
શીખવો વચનુંનો વિશવાસ રે,
સતગુરુને પૂછીને પગલાં ભરવાં ને
થઈને રહેવું તેના દાસ રે.
ભાઈ રે! રંગરૂપમાં રમવું નહીં ને
કરવો ભજનુંનો અભિયાસ રે,
સતગુરુ સંગે એકાંતમાં રે’વું ને
તજી દેવી ફળની આશ રે — નવધા.
ભાઈ રે! દાતા ને ભોગતા હરિ એમ કે’વું ને
રાખવું નિરમળ જ્ઞાન રે,
સતગુરુ ચરણમાં શીશ નમાવવું રે
ધરવું ગુરુજીનું ધ્યાન રે — નવધા.
ભાઈ રે! અભ્યાસીને એવી રીતે રે’વું ને
જાણવો વચનનો મરમ રે,
ગંગાસતી એમ બોલિયાં ને
છોડી દેવાં અશુદ્ધ કરમ રે — નવધા.